top of page

મન કયું બહેકા રે બહેકા..!?

Writer's picture: Dr.Vijay Manu PatelDr.Vijay Manu Patel

હાલના સમયમાં મોટાભાગના માણસની સૌથી મોટી સમસ્યા કઈ? કદાચ, માનસિક અશાંતિ, ખરું ને? સામાજીક પ્રાણી તરીકે આપણે સૌ વિચારશીલ છીએ એટલે આ સમસ્યા છે એમ કહું તો ખોટું નથી. એ પણ સત્ય છે કે માણસ પોતે શરીરની તકલીફ દૂર કરવા માટે જેટલો ઉતાવળો રહે છે, તેટલો મનના અસંતોષ કે પીડા દૂર કરવા બાબતે સક્રિય નથી જ! આ કારણે જ માનસિક રોગો વિસ્તારી રહ્યા છે.

જો આપને નીચેનામાંથી એક કે વધુ ચિન્હો વારંવાર અનુભવાતા જણાય તો એ બાબતે જરૂર નિદાન માટે વિચારશો:

· ઊંઘમાં ખલેલ પડે છે.

· ઘડીકમાં ‘આમ કરું’ ને ઘડીકમાં ‘પેલું કરું’ એમ મૂડ બદલાયા કરે.

· પહેલા જે પ્રવૃત્તિમાં આનંદ આવતો, તે પ્રવૃતિ હવે અણગમતી લાગે.

· કોઈ પણ કામ કરવામાં તકલીફ અનુભવાય.

· એકાગ્ર ન થવાય, વિચાર રજુ કરવામાં પણ સંકોચ થાય.

· અવાજ, ગંધ, સ્પર્શ બાબતે વધુ ઉત્તેજના અનુભવાય.

· ઉંમરના પ્રમાણમાં અતાર્કિક કે ચમત્કારિક વિચારો આવે.

· બીજા શું કહેશે એવું સતત અનુભવાય.

· પરિસ્થિતિ કે વ્યક્તિથી ગભરાટ અનુભવાય.

આવા લક્ષણો ક્ષણિક કે ટૂંકાગાળાના હોય તો તેને સ્વાભાવિક ગણજો. પણ એની તીવ્રતા વધુ હોય અને બે-ત્રણ મહિનાથી વધુ સમયથી અનુભવાતા હોય તો આમાંથી કોઈ એક કે વધુ ઉપાયો અજમાવી જોજો જ નહીં, અપનાવજો હા:

Ø મારે કઈંક સારું કરવું જોઈએ એટલું વિચારીને બેસી ન રહેવું, જે તે કામ કે પ્રવૃત્તિ કરવા જ માંડવી!

Ø તકલીફ અંગે કુટુંબીજનો, મિત્રો કે કર્મચારીઓ સાથે સંવાદ અચૂક કરતાં રહેવું.

Ø ગંભીર અને કરૂણ ગીતો કે પ્રવચનોથી થોડો સમય દૂર થઈ જવું!

Ø બહાર(ખુલ્લામાં) ચાલવાની કસરત યોગ્ય જ ગણાશે.

જો આ બધા ઉપાયો પછી પણ અસંતોષ નિરાશા જણાય તો બીજા કોઈ ઉપાયોનો વિચાર કર્યા વિના સીધી મનોચિકિત્સક પાસે રજૂઆત કરીને નિદાન કરાવવું. કેમ કે આ લોકો પાસે જ તમારી સમસ્યાનું ઉત્તમ નિદાન હોય છે એમાં બેમત નથી.

જીવન મઝાનું છે તેથી સૌને શરીર સાથે મનથી પણ તંદુરસ્ત રહેવા માટે મંગલ કામના!!

75 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page