top of page

મન કયું બહેકા રે બહેકા..!?

  • Writer: Dr.Vijay Manu Patel
    Dr.Vijay Manu Patel
  • Jul 31, 2021
  • 2 min read

હાલના સમયમાં મોટાભાગના માણસની સૌથી મોટી સમસ્યા કઈ? કદાચ, માનસિક અશાંતિ, ખરું ને? સામાજીક પ્રાણી તરીકે આપણે સૌ વિચારશીલ છીએ એટલે આ સમસ્યા છે એમ કહું તો ખોટું નથી. એ પણ સત્ય છે કે માણસ પોતે શરીરની તકલીફ દૂર કરવા માટે જેટલો ઉતાવળો રહે છે, તેટલો મનના અસંતોષ કે પીડા દૂર કરવા બાબતે સક્રિય નથી જ! આ કારણે જ માનસિક રોગો વિસ્તારી રહ્યા છે.

જો આપને નીચેનામાંથી એક કે વધુ ચિન્હો વારંવાર અનુભવાતા જણાય તો એ બાબતે જરૂર નિદાન માટે વિચારશો:

· ઊંઘમાં ખલેલ પડે છે.

· ઘડીકમાં ‘આમ કરું’ ને ઘડીકમાં ‘પેલું કરું’ એમ મૂડ બદલાયા કરે.

· પહેલા જે પ્રવૃત્તિમાં આનંદ આવતો, તે પ્રવૃતિ હવે અણગમતી લાગે.

· કોઈ પણ કામ કરવામાં તકલીફ અનુભવાય.

· એકાગ્ર ન થવાય, વિચાર રજુ કરવામાં પણ સંકોચ થાય.

· અવાજ, ગંધ, સ્પર્શ બાબતે વધુ ઉત્તેજના અનુભવાય.

· ઉંમરના પ્રમાણમાં અતાર્કિક કે ચમત્કારિક વિચારો આવે.

· બીજા શું કહેશે એવું સતત અનુભવાય.

· પરિસ્થિતિ કે વ્યક્તિથી ગભરાટ અનુભવાય.

આવા લક્ષણો ક્ષણિક કે ટૂંકાગાળાના હોય તો તેને સ્વાભાવિક ગણજો. પણ એની તીવ્રતા વધુ હોય અને બે-ત્રણ મહિનાથી વધુ સમયથી અનુભવાતા હોય તો આમાંથી કોઈ એક કે વધુ ઉપાયો અજમાવી જોજો જ નહીં, અપનાવજો હા:

Ø મારે કઈંક સારું કરવું જોઈએ એટલું વિચારીને બેસી ન રહેવું, જે તે કામ કે પ્રવૃત્તિ કરવા જ માંડવી!

Ø તકલીફ અંગે કુટુંબીજનો, મિત્રો કે કર્મચારીઓ સાથે સંવાદ અચૂક કરતાં રહેવું.

Ø ગંભીર અને કરૂણ ગીતો કે પ્રવચનોથી થોડો સમય દૂર થઈ જવું!

Ø બહાર(ખુલ્લામાં) ચાલવાની કસરત યોગ્ય જ ગણાશે.

જો આ બધા ઉપાયો પછી પણ અસંતોષ નિરાશા જણાય તો બીજા કોઈ ઉપાયોનો વિચાર કર્યા વિના સીધી મનોચિકિત્સક પાસે રજૂઆત કરીને નિદાન કરાવવું. કેમ કે આ લોકો પાસે જ તમારી સમસ્યાનું ઉત્તમ નિદાન હોય છે એમાં બેમત નથી.

જીવન મઝાનું છે તેથી સૌને શરીર સાથે મનથી પણ તંદુરસ્ત રહેવા માટે મંગલ કામના!!

 
 
 

Commentaires


bottom of page